
બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા સુરતમાં આજે છે બાબા બાકીશ્વરનો કાર્યક્રમ અને આવતીકાલે કથા છે.
સુરત માં બાબા બાગેશ્વર નો દિવ્ય દરબાર યોજાશે
આજે સુરતમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા છે દરબારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે ત્યારે સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા વિરેન્દ્ર શાસ્ત્રીય જય દ્વારકાધીશ જય વાઘેશ્વર નામ કહીને જણાવ્યું કે ખૂબ જ અદભુત છે સુરતના તમામ પાગલોને સાધવાદ વાઘેશ્વર બાલાજીની કૃપા થાય તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે બાબા વાઘેશ્વરી ની આવતીકાલે કથા છે ત્યારે પણ બધા જ લોકો તેની કથા સાંભળવા પણ આવે.
આરતી ઉતારી બાબા બાગેશ્વરનું સ્વાગત
બાબા બાગેશ્વર ના સ્વાગત માટે આરતી ની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા. માતા કિરણ પટેલે બાબા બાગેશ્વર ની આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ બહાર આવતા જ બાગેશ્વર બાબાએ કહેતા કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. તેવામાં આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા અને ભભૂતિ વિતરણ પણ કરવામાં આવશે.
બાબાના દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા
સુરતમાં બાબાએ ગોપીને ફોર્મમાં રાત્રી રોકાણ કર્યું. સાથે જ તેના દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં ૪૦૦ થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડ રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબા ના દિવ્ય દરબારમાં એક JCP બે રેDCP અને ચાર ACP સહિતના અધિકારીઓ પણ દેખરેખ રાખશે.